પ્રેમ રાવત વિશે ...

પ્રેમ રાવત બાળપણથી લોકો સમક્ષ અંતરની શાંતિની સંભાવનાની રજૂઆત કરી રહ્યા છે.

ઉત્તર ભારતમાં ઇ.સ. 1957માં જન્મેલા, પ્રેમ રાવતને નાનપણમાં માનવીઓને આ વિશેષ ભેટ આપવાની તેમની ક્ષમતાના માનમાં મહારાજજીનો ખિતાબ આપવામાં આવ્યો હતો - જેનો અર્થ છે “મહાન શિક્ષક “. છેલ્લા 40 વર્ષોમાં, તેમણે આ અનંત સંદેશ શબ્દશ: વિશ્વભરમાં સતત લાખો લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

પ્રેમ રાવતનો સંદેશ બધા માનવીયોના હૃદયમાં રહેલી ઝંખના તરફ ધ્યાન દોરીને - જાતિ, સંસ્કૃતિ અને પંથને ઓળંગી જાય છે. આજે, દરેક જીવનવ્યવસાયોમાંના હજારો લોકો પોતાના હૃદય સાથેના આ સરળ જોડાણથી મળતી ખુશી અને પરિપૂર્ણતાથી લાભ મેળવી રહ્યા છે.

પ્રેમ રાવતે, છેલ્લા 3 દાયકાઓમાં 250 શહેરોમાં 50 લાખથી વધુ લોકોને અંતરની શાંતિની સંભાવનાનો પરિચય આપ્યો છે. તેઓ વિશ્વભરના મોટા ભાગના મુખ્ય શહેરોમાં નિયમિતપણે આયોજિત થતા જાહેર કાર્યક્રમોમાં પ્રમુખ વક્તા છે. પ્રેમ રાવતના જાહેર કાર્યક્રમોના સમયપત્રક માટે WOPG.ORG.  ની મુલાકાત લો REGIONAL CONTACT INFORMATION ની મુલાકાત લો.WWW.WOPG.ORG માં જ્ઞાન વિશે વધુ જાણવા ઇચ્છતા લોકો માટે ધણી ખરી મુખ્ય ભાષાઓમાં પ્રાદેશિક સંપર્ક માહિતી પણ છે.


 

પ્રેમ રાવતના સંદેશ વિશે...

પ્રેમ રાવત: અંતરની શાંતિ માટેની તૈયારી અને શિક્ષણ.

“શાંતિ જન્મજાત છે. એ આપણા બધાની અંદર છે. પણ આપણે શાંતિની અનુભૂતિ કરીએ તે પહેલા, એની ઝંખનાની લાગણી મહેસૂસ કરવી જરૂરી છે. “

આ ઝંખના માન્યતાઓ, ફિલસૂફીઓ અથવા કલ્પનાઓથી સ્વતંત્ર છે. એની લાગણી બધા સંસ્કૃતિઓ, ધર્મો અને સમાજોના લોકો અનુભવે છે. આ અંતરની શોધની યાત્રા અનન્ય છે અને દરેક વ્યક્તિ માટે પોતાની ગતિએ ચાલે છે. હાલમાં, મહારાજજી લોકોને જે જ્ઞાન શીખવે છે તે માટેની તૈયારીના અને તેને પ્રાપ્ત કરવાના બધા પગલાઓ દરમિયાન માર્ગદર્શન આપવા વિશેષ રીતે તૈયાર કરેલા “કીઝ “ નામક વિડીઓઝનું સેટ વિકસાવી રહ્યા છે.

પ્રેમ રાવતની શીખો વિશે વધુ માહિતી પ્રેમ રાવત ફાઉન્ડેશનની વેબસાઇટ TPRF.ORG.  પરથી મેળવી શકાય છે. એમનું વારંવાર પૂછાતા પ્રશ્નોનું ખંડ વધુ શીખવામાં રસ ધરાવતા લોકો દ્વારા પૂછાતા સામાન્ય પ્રશ્નો તરફ ધ્યાન આપે છે. પ્રેમ રાવતની વ્યક્તિગત વેબસાઇટ premrawat.com, પર અંતરની શાંતિના વિષય પર પ્રેમ રાવતે લખેલી કવિતાઓ અને સંગીતની નાનકડી પસંદગી છે.


વર્ડપેન્ટ વિશે...

વર્ડપેન્ટ પ્રેમ રાવતની કામગીરી પ્રદર્શિત કરે છે.

અમે સુંદરતાના શબ્દો સુંદર વાતાવરણમાં રજૂ કરીએ છીએ. વર્ડપેન્ટ 2003માં મહારાજજીએ ઇન્ડિયા ટાઇમ્સ માટે લખેલા “ગીવ પીસ એ ચાન્સ “ નામક એક લેખ સાથે શરૂ થયું હતું. એ એવો સમય હતો જ્યારે મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળ ધેરાતા હતા. મહારાજજીએ “બહારના “ યુદ્ધના મામલાને “અંદરના“ યુદ્ધનું પરિણામ તરીકે ઓળખાવ્યો હતો. આ મુખ્ય વિષય મહારાજજીના સંદેશમાં વ્યાપેલો છે: જો તમે તમારા અંતરના જગતમાં શાંતિ મેળવશો, તો તેનાથી બહારના જગતમાં શાંતિ ફેલાશે.

આજે વર્ડપેન્ટ ધણા ફેલાવા અને વૃદ્ધિની યોજના સાથે, 50થી વધુ જુદીજુદી ભાષાઓમાં અનુવાદિત, મહારાજજીની રજૂઆતોમાંના ફકરા દર્શાવે છે. અમે આશા રાખીએ કે તમે અહીંની તમારી મુલાકાતનો આનંદ લેશો અને તમે સત્ત્વ અને મૂલ્ય મેળવયા હશે.

વર્ડપેન્ટમાં મહારાજજીના સંદેશને માણતા - અને તેથી વધુ - બીજા માનવીઓ સાથે આ સંદેશમાં ભાગીદારી માણતા સ્વયંસેવકો અને અનુવાદકો કામ કરે છે. વિશ્વ શાંતિ “ એક સમયે એક માનવ“ સાથે સર્જાય છે. જો તમને વર્ડપેન્ટની જાળવણી અથવા અનુવાદમાં યોગદાન આપવામાં રસ હોય, તો કૃપા કરી વધુ માહિતી માટે આ લિંકની મુલાકાત લો.

મુલાકાત લેવા બદલ આભાર. સુરક્ષિત અને પરિપૂર્ણતાભરી જીવન યાત્રા માટે શુભેચ્છાઓ.